‘વૈષ્ણવજન’ કૃતિના કવિનું
નામ શું છે? -નરસિંહ મહેતા
‘વૈષ્ણવજન’ કૃતિનો સાહિત્ય પ્રકાર લખો. -પદ
નરસિંહ મહેતાનું જન્મસ્થળ ક્યું છે ? -તળાજા, જિ. ભાવનગર
નરસિંહ મહેતાની કર્મભૂમિનું નામ શું છે ? -જૂનાગઢ
‘વૈષ્ણવજન’ કઈ કૃતિમાંથી
લેવામાં આવેલ છે? -નરસિહ મહેતાના પદો માંથી
નરસિંહ મહેતાનું ક્યું પદ ગાંધીજીને અતિ પ્રિય
હતું?
-વૈષ્ણવજન તો તેને કહીએ...
નરસિંહ મહેતાના મતે સાચા વૈષ્ણવજનના દર્શનથી કેટલા
કુળનો ઉદ્ધાર થાય? -એકોતેર કુળનો
વાચ, કાછ મન નિર્મળ
રાખે એટલે... -વાણી, ચારિત્ર્ય અને મનને પવિત્ર રાખે.
વૈષ્ણવજન પરધન જોઇને શું કરે છે? -તેને હાથ પણ અડાડતો નથી.
મોહમાયા કોને સ્પર્શી શકતાં નથી. -વૈષણવજનને
‘વૈષ્ણવજન’ પદ કોને અતિ
પ્રિય હતું? -ગાંધીજીને
વૈષ્ણવજનને શેની લગની લાગી હોય છે? -રામનામની
વૈષ્ણવજન શાનું અભિમાન રાખતો નથી ? -કોઈ ઉપકાર કર્યાનું
‘વૈષ્ણવજન’ પરસ્ત્રી
પ્રત્યે કેવો આદરભાવ રાખે છે? -માતા જેવો
ગુજરાતી સાહિત્યમાં ‘આદિ કવિ' તરીકે કોણ જાણીતું - નરસિંહ મહેતા
નરસિંહ મહેતાનાં પદ ક્યા નામે જાણીતા છે ? - પ્રભાતિયાં
‘વાચ, કાછ, મન નિર્મળ રાખે....' પંક્તિમાં
‘કાછ' નો અર્થ દર્શાવો. - ચારિત્ર્ય
‘......... પરસ્ત્રી જેને માત રે’ પંક્તિનો શો
અર્થ છે ?
- પરસ્ત્રીને માતા ગણવી.
વૈષ્ણવજન જીવનમાં તૃષ્ણા સાથે કઈ રીતે કામ લે છે ? - ત્યાગ કરીને
પારકાની લક્ષ્મીને જે હાથ લગાડતો નથી, તેને નરસિંહ મહેતા કેવો કહે છે? - વૈષ્ણવજન
વૈષ્ણવજનના મનમાં દઢ પણે શું જોવા મળે છે? - વૈરાગ્ય
સકળ તીરથ કોના દેહમાં રહેલાં છે ? અથવા સકળ લોકમાં કોણ તીર્થ સ્વરૂપ છે. – વૈષ્ણવજન
0 Comments